રવિવાર, 11 એપ્રિલ, 2010

વિશ્વાસ અને પ્રેમ

સાચ - જૂઠના પારખાં કરી શકાતાં નથી. કોઈ વ્યક્તિની પાસેથી સત્ય વાત કઢાવવી ખુબ જ મુશ્કેલ હોય છે.
ક્યારેક જૂઠને જ સત્ય માનીને સંબંધો નિભાવવા પડતા હોય છે.


ક્દી કોઈ મિત્રની કે કોઈ પ્રેમીની પરીક્ષા કરવી નહી. આ પરીક્ષામાં નાપાસ થવાના ચાન્સ એકથી વધારે હોય છે. અને નાપાસ થયેલા પ્રેમી કે મિત્ર સાથે સમાધાન કરીને જીવવું ખુબ જ કઠીન કામ છે. એના કરતા દોસ્તીના ભ્રમમાં જીવવું સરળ છે.


તમે તમારી જાત પર વિશ્વાસ કેળવો એ જ અગત્યનું છે. તમે તમારો વિશ્વાસ સંપાદન કરો અને ખુલ્લા મનથી જીવો. બીજા પર વિશ્વાસ કરશો તો વિશ્વાસની સાથે જ અવિશ્વાસ પણ આવી જશે. અને પ્રેમ કે સંબંધમાં વિશ્વાસ - અવિશ્વાસ જેવું કશું નથી.


ક્યારેય મઝાકમાં પણ કોઈ પ્રેમીનું દિલ દુભાય એવું વર્તન ના કરશો. દિલ દુભાવાની ઘટના અસહ્ય હોય છે. એ વખતે હ્રદયની ધડકન તેજ થઇ જાય છે, શરીર હલકું -થાકી ગયું હોય એવું થઇ જાય છે અને મનમાંથી આનંદ - ઉલ્લાસ ઉડી જાય છે.

શનિવાર, 10 એપ્રિલ, 2010

angat angat

જીવનનું બીજું નામ ગતિ છે,
જીવનમાં fullstop ક્યારેય નથી.
જીવન સતત વહેતી જલધારા છે.
એની રાહ એ જ મંઝીલ છે,
સાગર એનું ધ્યેય છે.


કોઇપણ વ્યક્તિના મનને કળવું ખુબ જ મુશ્કેલ છે.
માણસનું બહારનું વર્તન અને અંદરનો ભાવ અલગ અલગ હોઈ શકે છે.


આપણને કોઈ વ્યક્તિ ભલે પોતાનું અંગત , એકદમ નિકટતમ લાગે ,
પણ હરેક વખતે એ સાચું હોતું નથી.

વ્યક્તિને બીજી વ્યક્તિની હમેશાં બીક ભલે ના લાગે પરંતુ
ક્યારેક કોઈક સંજોગોમાં મિત્ર પણ મિત્રથી ડરી જતો હોય છે.





બુધવાર, 18 નવેમ્બર, 2009

જીવનના વિસ્મયને ઓળખો : osho


જીવનના વિસ્મયને ઓળખો
જીવન દરેક ક્ષને નવું છે. દરેક ક્ષને તે નવી દિશાને સ્પર્શે છે, નવા આકાશમાં પ્રવેશ કરે છે, નવા સૂર્ય ને નવી રાતોને પસાર કરે છે. નવા કિનારા, નવા સાગર હોય ત્યાં જીવન વિસ્મય ના હોય તો શું હોય ?
દરેક ઘટનાના 'સ્વ' નો અનુભવ કરો - દરેક વ્યક્તિના, દરેક ફૂલના, દરેક પાંદડાના, દરેક પત્થરના....
જો આપણે શોધવા નીકળીએ તો એક પત્થર જેવો અદ્દલ બીજો પત્થર આખી દુનિયામાં પણ આપણે શોધી ના શકીએ.
એક વ્યક્તિ જેવી હોય છે એના જેવી બીજી કોઈ વ્યક્તિ બીજે ક્યાય નથી હોતી. એક ઘટના બને છે તો એના જેવી જ ઘટના બીજે ક્યાય બનતી નથી અને ક્યારેય બનશે પણ નહિ.
જો આ નવીનતાનો ભાવ , આ નાવીન્યનો, આ તાજગીનો, આ જીવન્તતા નો આ પરિવર્તનનો બોધ સ્પષ્ટ થઇ જાય તો વિસ્મય તમારા દરવાજે આવી ઉભો રહી જશે. સ્મૃતિને વિદાય કરી દો, જીવનને સ્મૃતિને છોડીને છોડીને જોશો તો જીવન વિસ્મયથી ભરેલું છે. osho

now & here


now & here
વર્તમાન જ માત્ર સમય છે. જો તમે વર્તમાનમાં રહી શકશો તો જ સમયને જીતી શકશો વર્તમાનમાં રહેવા ધ્યાન અને અભ્યાસ જરૂરી છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો માણસને વિચલિત અને દુખી બનાવે છે. માટે નકામા વિચારોને ત્યજી વર્તમાનમાં જીવવાનો અભ્યાસ શરુ કરી દો. સુખ અને સંતોષ તથા આનંદની અનુભૂતિ માત્ર વર્તમાનમાં જ થઇ શકે છે.
ડો. અરવિંદ પંચાલ.

સોચ કો બદલો ,નજરે બદલ જાયેગી
નજર કો બદલો નજારે બદલ જાયેંગે ,
કિશ્તી કો બદલને કી જરૂરત નહિ
અગર દિશા બદલેંગે તો કિનારે બદલ જાયેંગે.

રવિવાર, 8 નવેમ્બર, 2009

કવિતા
અબજો વર્ષોથી તું આ સૃષ્ટિને જન્માવી ચુક્યો છે ,
મારી ચુક્યો છે, પુનઃ પુનઃ એ ચક્ર ચાલ્યા કરે છે.
તારી આંગળી પકડી ડગમગુ થતો માણસ તને પકડવા માંથી રહ્યો છે !
તારા આંગણમાં આજે હસતો રમતો માણસ
કાલે તારા ગર્ભમાં કાયમ માટે સમાઈ જાય છે.
માણસે તને વિભાજીત કર્યો ભૂત-ભાવી-વર્તમાનમાં,
તું તો રહ્યો અખંડ, અનંત અને અસ્ખલિત...
તને શોક નથી, તને હર્ષ નથી તમામ ઘટનાઓનો સાક્ષી તું છે.
સુરજ ઉગે કે ના ઉગે,તારા ખરે કે ના ખરે તું તો સતત જાગૃત...
સહારાના રણની રેતી એટલે તું
અને રેતીનો કણ એટલે હું.
સમય ! ધન્ય છે તારા અસ્તિત્વને..
નમસ્કાર તારા અનંત જીવનને !
ડો. અરવિંદ પંચાલ

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2009

sahaj

સહજ
ચાંદ,તારા,સુરજ ઉગે ને આથમે
જીવન પણ એમ જ સહજ બની જાય,
ફૂલોની ખુશ્બુ સંસારમાં પ્રસરે
ને લોકો ફૂલ જેવા કોમલ બની જાય ,
કોઈ ઊંચ, કોઈ નીચ,
કોઈ સુંદર, કોઈ કુરૂપ,
કોઈ સુખી, કોઈ દુખી,
બધા ભેદ મટી ને સહુ સમાંતર થઇ જાય,
ચાંદ,તારા,સુરજ ઉગે ને આથમે
જીવન પણ એમ જ સહજ બની જાય.

ડો. અરવિંદ પંચાલ